Friday, February 7, 2020

ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકાર ની સારવાર વિનામૂલ્યે

https://www.facebook.com/Help-People-102258064533238/?modal=admin_todo_tour

https://news.khedut.club/all-treatments-are-free-in-this-hospital-in-gujarat/?fbclid=IwAR10G8Ypbpr5XF7LumszP9c9PXT0VcmitwZ33Hcbrl7VHduJ3mdMOOw_Fxo


ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યાં તમામ પ્રકાર ની સારવાર વિનામૂલ્યે. વાંચો અને શેર કરો.

મિત્રૌ ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે.
જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં…પરંતુ, ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ, કોઈપણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે.
સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત.
‘નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ’ ની અમે વાત કરી રહ્યા છીએ…
આ હોસ્પિટલ -ભાવનગર જિલ્લાના,
ઉમરાળા તાલુકાના,
ટીમ્બી ગામે (અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને) આવેલી છે.
નિર્દોષાનંદજી હોસ્પિટલમાં –
દર્દીઓની તપાસ,સોનોગ્રાફી,એક્સ-રે,>
લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ જાતના ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત –
દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે.
આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ ‘નિ:શુલ્ક’ અપાય છે.
ભારતભરમાં -આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં – સારણગાંઠ,એપેન્ડિક્સ,થાઈરોઈડ,
ગર્ભાશયના ઓપરેશનો,સ્તન કેન્સર,આંતરડાના ઓપરેશનતથા,સરકમસિઝન સર્ઝરી ‘વિનામૂલ્યે’ થાય છે.
પ્રોફેશનલ હોસ્પિટલોમાં -જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય…તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે.
પ્રસુતી બાદ -પ્રસુતાને એક ‘કીટ’ અપાય છે. જેમાં -ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે.
આ ઉપરાંત –
પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે.નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં -નોર્મલ ડિલીવરી,સિઝેરીયનનું ઓપરેશન,ગર્ભાશયની કોથળીનું ઓપરેશન,માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus),સ્ત્રી નસબંધીનું ઓપરેશન (T.L.),ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.
જાન્યુઆરી-2011 થી ફેબ્રુઆરી-2013 સુધીમાં…એટલે કે –
26 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે.
આજ દિન સુધીમાં કુલ મળીને 3,345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40,998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળાનાં સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે.તો,શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે .
આ હોસ્પિટલમાં -ઈ.એન.ટી.,યુરોલોજીસ્ટ,ફિઝિશિયન,રેડોયોલોજીસ્ટચેસ્ટ ફિઝિશિયન,પેથોલોજીસ્ટ,ઓર્થોપેડિક, પીડીયાટ્રીક,એનેસ્થેટિક,ઓપ્થાલ્મો,આયુર્વેદીક,ઓડિયોમેટ્રી…જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.
Hospital Address :
SWAMI NIRDOSHANAND MANAV SEVA TRUST
C/O,
PO :- TIMBI VILLAGE
TA :- UMRALA
DIST :- BHAVNAGAR
STATE :- GUJARAT

Monday, June 3, 2019

Free for Patients

Free for Patients
દર્દીઓ માટે મફત


Thursday, March 28, 2019

12 કોમર્સ પછી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે નિઃશુલ્ક હેલ્પ ડેસ્ક બનાવશે સુરતની અમરોલી કોલેજ


https://www.facebook.com/Information-150388575132752/


https://trishulnews.com/amroli-college-organize-helpdesk-for-12th-pass-studs/?fbclid=IwAR3jpXhSxJ3AH4QV96voChQSatRIY8YjbBJjtVOUDa4lWp1DE8V9HPd4E7A

હાલમાં જ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપીને વેકેશન ની મજા માણી રહ્યા છે. પરંતુ ધોરણ 12 કોમર્સ નું પરિણામ આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાના કેરિયર માટે અલગ અલગ કોલેજોમાં એડમિશન માટે દોડાદોડી કરવામાં લાગી જશે. વિદ્યાર્થીઓ અપૂરતા અનુભવ અને માર્ગદર્શન અને કારણે ઘણીવાર નાની ભૂલને લીધે કોલેજમાં પ્રવેશથી વંચિત રહે છે અથવા પોતાની પસંદગીના વિષયો કે કોલેજોમાં પ્રવેશ મેળવી શકતા નથી.
એડમિશનની દોડધામમાં વિદ્યાર્થીઓ ઉતાવળિયા નિર્ણયને કારણે પોતાનું કેરિયર ખોરંભે ચડાવી દેતા હોય છે. વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન પૂરું પડી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત ઘણી કોલેજોમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટરો શરૂ કરાતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ હેલ્પ સેન્ટર ક્યાં આવેલા છે કઈ કોલેજમાં મદદ મળશે, તેવી જાણકારીથી વાકેફ હોતા નથી. જેથી વિદ્યાર્થીઓ સાયબર કાફૅમાં જઈને ફોર્મ ભરવા માટે ના સામાન્ય કામકાજમાં 1500 રૂપિયા થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવી લેતા હોય છે જે ખરેખર નિશુલ્ક હોય છે.
જાણકારીના અભાવે માત્ર ૧૫ મિનિટના સમયમાં ઓનલાઈન ભરાતા ફોર્મમાં માર્ગદર્શન ના અભાવે વિદ્યાર્થીઓ ખોટી બિનજરૂરી રકમ ચૂકવી દેતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓના હિતને જોઈને શહેરના અમરોલી વિસ્તારમાં છેલ્લા 20 વર્ષોથી જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા ધોરણ 12 કોમર્સ ને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, આ હેલ્પ ડેસ્ક નો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ હેલ્પડેસ્ક માં વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ અને મોબાઈલ નંબર વગેરેની માહિતી આપીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થીએ પોતાનો અનુકૂળ કોર્સ અને કોલેજ માટે અનુકૂળ સમય પણ પસંદ કરી શકે તે માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. રજિસ્ટ્રશન માટે http://amrolicollege.org/admhelpdesk/ લિંક પરથી ફોર્મ ભરવાનું રહેશે.
આ વેબસાઈટ પર અમરોલી કોલેજોની તમામ માહિતી પ્રોસ્પેક્ટસ ના રૂપમાં સરળતાથી જોઇ અને વાંચી શકાશે. સાથે-સાથે ગુજરાત સરકારે બહાર પાડેલી માહિતી પુસ્તિકા કે જેમાં વિવિધ કોર્સમાં કેવો અભ્યાસક્રમ આવશે તેની જાણકારી પણ મેળવી શકાશે. અમરોલી કોલેજ દ્વારા શરૂ કરવામાં આવેલા આ હેલ્પ ડેસ્ક અને કારણે હજારો વિદ્યાર્થીઓના નાણા અને સમય ની બચત થશે, સાથે-સાથે વિદ્યાર્થીઓનું કેરિયર પણ ઉજ્જવળ બની શકશે.
આ માહિતીના આધારે આ હેલ્પડેસ્ક દ્વારા વિદ્યાર્થીઓને ફોર્મ ભરતી વખતે તેમજ પસંદગીની કોલેજો પસંદ કરતી વખતે માર્ગદર્શન આપવામાં આવશે. આ વેબસાઈટ પર હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે. અહીં નોંધનિય છે કે આ સુવિધા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સુરતમાં આવેલી કોલેજો માટે જ ઉભી કરવામાં આવેલ છે.

Sunday, January 20, 2019

સુરતના એક ડાયરામાં વિનામૂલ્યે સારવાર કરતી હોસ્પિટલ માટે 3 કલાકમાં 3 કરોડનું દાન

https://m.dailyhunt.in/news/india/gujarati/rakhewal-epaper-rakwal/suratana+ek+dayarama+vinamulye+saravar+karati+hospital+mate+3+kalakama+3+karodanu+dan-newsid-89935499


સુરત: સાવરકુંડલાના વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરની સેવાના સાડા ત્રણ વર્ષ પૂર્ણ થતાં સુરતમાં સરથાણા હરેકૃષ્ણ કેમ્પસ ખાતે આનંદ પર્વની ઉજ‌વણી કરવામાં આવી હતી . સાહિત્યકાર સાંઈરામ દવેના સથવારે રવિવારે લોકડાયરાનો આનંદ માણ્યો હતો. સંસ્થાના પ્રમુખ હરેશ મહેતા, ઉપપ્રમુખ ડો નંદલાલ માનસેતા, ટ્રસ્ટી સવજીભાઈ ધોળકિયાએ આરોગ્ય સેવાનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, આ સંસ્થામાં દરેક દર્દીને નિ:શુલ્ક સેવા આપતી એશિયાનો આ પ્રથમ સંસ્થા હશે. સાહિત્યકાર સાંઈરામ દવેએ પોતાનાથી શરૂઆત કરી પોતે આ સેવાયજ્ઞ માટે 6 ડાયરા નિ:શુલ્ક કરશે તેવી જાહેરાત કર્યા બાદ 22 જેટલા દાતાઓએ દરેકે 13.51 લાખ અને 12 દાતાએ એક-એક લાખનું દાન જાહેર કરતાં માત્ર ત્રણ કલાકના કાર્યક્રમમાં ત્રણ કરોડથી વધારે રકમનું દાન જાહેર થતાં ડાયરાની રંગત જામી હતી.
લોકસાહિત્યની વાત કરતાં સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, આભાસી વર્લ્ડમાં ફસાયેલી નવી પેઢીને એક્ચ્યુલ વર્લ્ડ તરફ વાળવી પડશે. હાસ્ય રસમાં વલ્ગારિટી ઘૂસે નહીં તેની તકેદારી જરૂરી છે. તેના માટે હાસ્ય એકેડેમી ખોલીને શિક્ષિત છોકરા-છોકરીઓને આ ક્ષેત્રમાં તૈયાર કરવા પડશે. સૌરાષ્ટ્રની ગ્રામીણ જીવન શૈલી, ઝવેરચંદ મેઘાણીની રચનાઓ, મૂળ સુરતના કવિઓ, સાહિત્યકારો, સુરતની ભાષા, ભોજન અને લહેરીપણાને કાવ્ય સ્વરૂપે રજૂ કરી આનંદ પર્વને મોડી રાત સુધી જમાવ્યો હતો.

Cancer Injection